ગુજરાત
News of Tuesday, 7th February 2023

અમદાવાદમા વસ્ત્રાપુર તળાવ પાસે પાવડાના ઘા ઝીકી શ્રમિકની હત્યા

પાવડાના એક પછી એક ઘા મારીને આ શ્રમિકને મોતને ઘાટ ઉતારાયો : દરરોજ હત્યાઓ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે , કાલે 6 ફેબ્રુઆરીએ હત્યાની ઘટના ઘટી હતી અને આજે 7 ફેબ્રુઆરીએ વહંદુ એક હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે એક શ્રમિકની હત્યા કરવામાં આવી છે. પાવડાના એક પછી એક ઘા મારીને આ શ્રમિકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ શહેરમાં ગઈકાલે 6 ફેબ્રુઆરીએ કાલુપર વિસ્તારમાં એકયુવકની હત્યા થઇ હતી. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ગઈકાલે બપોરે યુવક ઉપર તલવારથી હુમલો થયો હતો. આ બનાવમાં એક યુવકનું ઉપરાછાપરી તલવારના ઘા મારતા મોત નીપજ્યું હતું. બે દિવસમાં બે-બે હત્યાઓ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

(1:12 am IST)