ગુજરાત
News of Saturday, 8th February 2020

અમદાવાદમાં નારોલ પીરાણા રોડ પર નંદીમ ડેનિમ કાપડ ફેકટરીમાં ભીષણ આગ : ચાર લોકોના મોત

બીજા અને ત્રીજા માળે આગ હોવાથી શેડ તોડીને ક્રેનની મદદ લેવાઈ : આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ

 અમદાવાદના પીરાણા નજીક પીપળજમાં આવેલી નંદમ ડેનિમ નામની કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.

જાણવા મળ્યા મુજબ શનિવારે સાંજે નારોલ પીરાણા રોડ પર આવેલી કાપડ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યો છે.

  વધુમાં મળતી વિગત મુજબ નારોલ પીરાણા રોડ પર આવેલી નંદીમ ડેનિમ નામની કાપડ ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગવાનો સંદેશ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. આગવિકરાળ બનતા 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવા માટે અત્યાધુનિક ક્રેનની પણ મદદ લેવામાં આવી છે. ફાયર બ્રિગેડ ફેક્ટરીનો શેડ તોડીને ક્રેનની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. આગ દરમિયાન 4 લોકોના મોત નિપજ્યા છે અને પાંચ વ્યક્તિઓ ફસાયા હોવાની શક્યતાછે 

(11:19 pm IST)