ગુજરાત
News of Saturday, 8th February 2020

સાબરકાંઠા નેશનલ હાઇવે નં. આઠ ઉપર ફરીવાર ચક્કાજામ : ગામ લોકોની અંડર બ્રિજ બનાવવા માંગ

હિંમતનગરના સરવણાના અને કેસરપુરા ગામના લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો

સાબરકાંઠામાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ફરી એક વખત ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વખતે માંગ છે અંડરબ્રિજ બનાવવાની, હિંમતનગરના સરવણાના અને કેસરપુરા ગામના લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ગામ લોકોએ અંડરબ્રિજ બનાવવાની માંગ પૂરી ન થતા આ પગલું ભર્યું હતું. ગ્રામજનોએ હાઇવે પર બળદ ગાડા સહિત ચક્કાજામ કરતા વાહન વ્યવહારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(9:17 pm IST)