નડિયાદ એસ.ઓ.જી.ની ટીમે 500ની નકલી નોટો બનાવવાનું રેકેટ ઝડપી બે શખ્સોની ધરપકડ કરી
નડિયાદ: શહેરમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનુ રેકેટ નડિયાદ એલ.સી.બી અને નડિયાદ એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયુ છે.નડિયાદ શહેરમાં યોજાનાર મેળામાં નોટો ફેરવી પૈસા બનાવી લેવા ની હિલચાલ પહેલા પોલીસ ટીમે ઝડપી પાડયા છે.આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ પવન ચક્કી રોડ ઉપર ૮ આશીર્વાદ રો હાઉસ પંજાબી સોસાયટીની બાજુમાં નકલી નોટો છાપવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી હતી.બાતમી આધારિત સ્થળે રેડ પાડતા રાજુભાઇ શંકરભાઇ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસ ટીમે બંને વ્યક્તિઓને સાથે રાખી ઘરની તલાસી લીધી હતી.ઘરની તલાસી લેતા એક મીણીયાની કોથળીમાં રૂા.૫૦૦ ના દરની નોટોના બંડલો ભરેલ મળી આવ્યા હતા.જે કુલ નોટો-૧૯૪૦ કિ.રૂા.૯,૭૦,૦૦૦ મળી આવ્યા હતા.જે તપાસ કરતા બનાવટી હોવાનુ બહાર આવ્યુ હતુ.