બનાસકાંઠાના અમીરગઢ પોલીસ મથકના કોન્સ્ટેબલે ઝડપી પાડેલ દારૂનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યો !
બનાસકાંઠા: ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરાવવાનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓનું છે. પરંતુ જો આ જ પોલીસકર્મી પોતાની ફરજ ચૂકે તો શું? અમીરગઢ પોલીસમથકના કોન્સ્ટેબલે દારૂની ગાડી તો ઝડપી પરંતુ આ દારૂ બારોબાર વેચી માર્યો હોવાનો જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ અમીરગઢ પોલીસ મથકના આ કોન્સ્ટેબલે દારૂની ગાડી ઝડપી. ગાડીમાંથી પકડાયેલો દારૂ બારોબાર વેચી માર્યો. પોલીસ કોન્સ્ટેબલનું નામ નરસિંહ નાગજી છે અને તેમણે 16 પેટી દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. એવું જાણવા મળ્યું છે કે પીએસઆઈની ગેરહાજરીમાં દારૂની ખેપ કરી રહેલી કારને તેમણે ઝડપી હતી. ત્યારબાદ પકડાયેલા દારૂને બારોબાર સગેવગે કરી નાખ્યો હતો.
15 દિવસની તપાસ બાદ પીએસઆઈએ કોન્સ્ટેબલ અને દારૂ ખરીદનારા બે વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો.