ગોકુલધામ-નાર મુકામે શ્રીજી ઐશ્વર્યધામનો દ્વિતીય પાટોત્સવ
તાજેતરમાં નાર મુકામે શ્રીજી ઐશ્વર્યધામ મંદિરનો દ્વિતીય પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અભિષેક અન્નકુટ આરતી તેમજ સર્વજ્ઞાતિય રપ દિકરીઓના સમુહલગ્નોત્સવ રાખેલ, દિવ્યાંગને ર૮ ટ્રાયસીકલનું વિતરણ તેમજ વિધવા, ત્યકતા બહેનોને રપ શિલાઇ મશીન આપવામાં આવ્યા હતા.
આશીર્વાદ સભામાં પૂ. શુકદેવસ્વામી અને હરિકેશવ સ્વામીએ સંતો અને યજમાનોને પુષ્પમાળા પહેરાવી આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે પૂ. નૌતમ પ્રસાદ સ્વામી તેમજ હરિપ્રકાશસ્વામી અને પુરાણી કૃષ્ણપ્રિયદાસ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. કેમ્પસના આર.સી.સી. રોડ તેમજ ગેટનું ઉદ્ઘાટન અને પ્રિસ્કુલ અને મેઇનગેટનું ભૂમિપૂજવ કરવામાં આવ્યું હતું. પરદેશથી શશીકાન્તભાઇ, દિલીપભાઇ, ધનશ્યામભાઇ ચિરાગભાઇ પટેલ (સૂર્ય ચિરાગ ફાઉન્ડેશન) આર.ડી. પટેલ જે.ડી. પટેલ. ધરમભાઇ,ધીરૂભાઇ ભૂંગારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મેડીકલ કેમ્પમાં ૧૦ર વ્યકિતને લાભ લીધો બ્લેડ ડોનેશન કેમ્પમાં ર૦ બોટલ એકત્ર થઇ હતી. આયુર્ર્વેદિ કેમ્પમાં ૧પ૦ જેટલા દર્દી તપાસ્યા હતા. આજુબાજુના દશહજાર કરતા વધુ લોકોએ ઉત્સવમાં ભાગ લીધો હતો.