વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈને ગઈકાલ રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન હાર્ટ એટેક આવી જતા સારવાર દરમ્યાન મોત
વડોદરા : તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મનુભાઇ વાળા (ઉ.વ.૫૪) (રહે. સોમનાથનગર તરસાલી) ગતરાત્રે ફરજ પર હાજર હતાં. એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે અચાનક તાત્કાલિક સારવાર અર્થે છાણીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરેશભાઇ વાળા નો પુત્ર ખાનગી સંસ્થામાં નોકરી કરે છે. અને એક મહિના પૂર્વે જ તેમના પુત્રનું લગ્ન થયું છે. અને પુત્રના લગ્ન માટે તેમણે ૧ મહિનાની રજા પણ લીધી હતી. ૧ મહિનાની રજા પૂરી કરીને તેઓ ગત ૨૮મી ડિસેમ્બરે જ નોકરી પર હાજર થયા હતાં. તેઓ પીસીઆર વાનના ઇન્ચાર્જ હતાં.સુરેશભાઇના આકસ્મિક અવસાનના પગલે તેમના પરિવાર તેમજ પોલીસ ખાતામાં શોકની લાગણી ફેલાઇ છે. ડી.એસ.પી. દ્વારા પોલીસ વેલફેર દંડમાંથી તેમના પરિવારને ૫૦ હજાર રૃપિયાની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે.