ગુજરાત
News of Wednesday, 8th January 2020

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નર્મદા કેનાલમાં આધેડની લાશ મોટા પથ્થરથી બાંધેલી હાલતમાં મળી આવતા દોડધામ

દિયોદર: થરાદની નર્મદા કેનાલમાં આધેડની લાશ મળતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. આધેડની લાશ મોટા પથ્થરથી બાંધેલી હાલતમાં મળી આવતાં દોડધામ મચી ગઇ છે. મૃતદેહ જોઇ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હોય તેવું અનુંમાન છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે થરાદ પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાની નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આધેડની લાશના શરીરે મોટો પથ્થર બાંધેલો જોઇ આસપાસના લોકોમાં અનેક શંકા કુશંકા ઉભી થઇ છે. હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવામાં આવી હોય કે આધેડે મોત વ્હાલું કરવા આત્મહત્યા કરી હોય તેને લઇ મુંઝવણ ઉભી થઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઘટનાને પગલે થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:25 pm IST)