ભાજપ, પોલીસ અને ABVPએ આયોજનબદ્વ હુમલોઃ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન
ABVPના કાર્યકર્તાઓ સાથે પોલીસ પણ મારવામાં જોડાઈ: પોલીસે 307 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ
અમદાવાદ :અમદાવાદના પાલડી વિસ્તારમાં એનએસયુઆઇ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે થયેલ ઘર્ષણ મામલે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દેશમાં ગુંડા કલ્ચર ઉભુ કર્યું છે. ભાજપે યુવાઓને સંદેશ આપ્યો છે કે ગુલામ બનીને રહો. આવા દેખાવો પ્રથમવાર થઇ રહ્યો હોય તેવું નથી
મોઢવાડિયાએ એમ પણ કહ્યું હતું કે આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર દેખાવો થયા છે. ભાજપ, પોલીસ અને ABVPએ આયોજન બદ્વ હુમલો કર્યો છે. પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી છે. ABVPના કાર્યકર્તાઓ સાથે પોલીસ પણ મારવામાં જોડાઈ. આ ઘટનામાં પોલીસે 307 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. હાજર પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થાય છે. ગુંડાગીરી કરીને દેશના યુવાઓને ગુલામ નહીં બનાવી શકાય