સુરતના કતારગામમાં હૈયું હચમાવતી ઘટના :માસુમ બાળકીનો હત્યા કરાયેલ મૃતદેહ મળ્યો : દુષ્કર્મની આશંકા
પોલીસના ઉચ્ચ અધિકારીઓ,ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં
સુરતના કતારગામમાં હચમચાવી દેનારી ઘટના ઘટી છે. માસૂમ બાળકીનોહત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. બાળકીનો મૃતદેહ મળવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ,ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યાં હતા.
આ બાળકી સવારે 11 કલાકે વાળીનાથ ચોક પાસેથી ગમ થઇ હતી. તિરૂપતિ નગરમાંથી જે મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો તે ઘટના સભ્યો ફરાર છે. બંધ મકાનમાંથી બાળકીનો આવી રીતે મૃતદેહ મળી આવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે.
આ અંગે ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી હતી અને ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી પાડવા અલગ અલગ ટિમો કામે લગાડી હતી. માસુમ બાળકીનો હત્યારો ભાગી જાય એ પહેલા જ ગણતરીની કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપીનું નામ મુકેશ પંચાલ છે અને તે વેલ્ડિંગના મજૂરીકામ સાથે સંકળાયેલો છે.