ગુજરાત
News of Wednesday, 7th December 2022

સાગબારાનાં નરવાડી ગામે આડા સંબંધનાં વ્હેમે પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નરવાડી ગામે પત્નીને માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવનાર હત્યારા પતિ સામે પોલીસે હત્યાંનો ગુનો દાખલ કર્યો છે
 પ્રાપ્ત માહિતી અનુસાર નવીનભાઇ જેઠીયાભાઇ વસાવા(રહે.ખોપી નિશાળ ફળીયુ,તા .સાગબારા ) એ આપેલી ફરિયાદ મુજબ પતિ દિલાવતભાઈ વાહરિયાભાઈ વસાવાએ પોતાની પત્ની જશોદાબેન દિલાવરભાઈ વસાવા ઉપર આડા સબંધનો ખોટો વહેમ રાખી તા.૦૩/૧૨ /૨૦૨૨ ના રોજ લાકડા વડે માર મારી શરીરે ગંભીર ઇજા પહેચાડી સારવાર દરમ્યાન તા.૦૬/૧૨/ ૨૦૨૨ ના રોજ SSG હોસ્પીટલ વડોદરા ખાતે મોત નીપજાવી ગુનો કરતા સાગબારા પોલીસે પતિ દિલાવર સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે .

(10:15 pm IST)