ગુજરાત
News of Saturday, 7th December 2019

ભાલેજ રોડના દલાપુર પાટિયા પાસે રીક્ષા પલ્ટી ખાતા બે બાળકીઓ સહીત 4 લોકોને ઇજા

આણંદ: ભાલેજ રોડ ઉપર આવેલા દલાપુરા પાટીયા પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક પીયાગો રીક્ષા પલટી મારી જતાં એક બાળકી સહિત મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. અંગે આણંદ રૂરલ પોલીસે પીયાગો ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ભાલેજ ચોકડી પરથી બપોરના અઢી વાગ્યાના સુમારે એક પીયાગો રીક્ષા નંબર જીજે-૨૩, ઝેડ-૦૦૮૬ની મુસાફરો ભરીને આણંદ તરફ આવવા નીકળી હતી. ત્રણેક વાગ્યાના સુમારે દલાપુરા પાસે આવેલા પેટ્રોલપંપ પાસેથી પીયાગો પસાર થઈ રહી હતી ત્યારે એકાએક પલટી મારી જતાં તેમાં સવાર ભવ્યા સંજયભાઈ પઢિયાર નામની બાળકી તેની માસી અલકાબેન (રે. રામનગર)સહિત મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(4:59 pm IST)