ગુજરાત
News of Saturday, 7th December 2019

કોંગ્રેસનું શાળા-કોલેજો બંધનું એલાન નિષ્ફળઃ ભરત પંડયા

અમદાવાદ,તા.૭: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું, કોંગ્રેસે આપેલ શાળા કોલેજોનું બંધનું એલાન સદંતર નિષ્ફળ ગયું છે. માત્ર ઉશ્કેરાટ અને વેરઝેર, અશાંતિ ફેલાવવાના બદઈરાદાથી અપાયેલ બંધના એલાનને વિદ્યાર્થિઓએ, યુવાનોએ, વાલીઓ અને જનતાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે.

બિન સચિવાલય પરીક્ષાના સંદર્ભમાં સરકારે ૨-૩ વાર પરીક્ષાર્થીઓ સાથે મિટીંગ કરી છે. SIT સાથે પરીક્ષાર્થીઓની પણ એક મિટીંગ કરી છે. SIT ૧૦ દિવસમાં તપાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં જે કાંઈ ન્યાયી હશે તે નિર્ણય લેવાશે. આટલી સ્પષ્ટતા હોવા છતાં કોંગ્રેસે વિદ્યાર્થીઓની લાગણીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરીને પોતાના રાજકીય રોટલાં શેકવા પ્રયાસ કર્યો છે. તેને યુવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા કોલેજોના સંચાલકો અને જનતાએ નિષ્ફળ બનાવ્યો છે. તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર માને છે. તેમશ્રી પંડયાએ જણાવ્યું હતું.

(4:17 pm IST)