તાંત્રિક વિધીનું નાટક રચી ૨ બહેનોનો ભવ બગાડયો
તમારા ઘરમાં આત્માઓ ભટકે છેઃ વિધિ કરાવો નહિ તો સત્યાનાશ થશેઃ લાખો રૂપિયા પડાવી લીધાઃ ચંડાળ ચોકડીની બીક બતાવી
અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી બે બહેનો સાથે તાંત્રિક વિધિના નામે યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દ્યાટલોડિયામાં રહેતા દોલતરામ નામના યુવકે મહિલાને દ્યરમાં સારું નથી, વિધિ કરાવવી પડશે કહી અને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો - વીડીયો, ઈન્ટરનેટ પર નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવની વિગત એવી છે. વાડજ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષની મહિલા સુભાષબ્રિજ પાસે આવેલા એક ફ્લેટમાં કામ કરવા જતી હતી. તેમના મિત્ર દ્વારા દ્યાટલોડિયામાં રહેતા દોલતરામ સુથાર નામના વ્યકિત સાથે મુલાકાત થઈ હતી. દોલતરામ અવારનવાર મહિલાને મળતો હતો. પોતે તાંત્રિક હોવાનું કહી તમારા દ્યરમાં દ્યણી બધી આત્માઓ રહે છે. જો વિધિ નહિ કરાવો તો સત્યાનાશ થઈ જશે. દ્યરમાં વિધિ કરવાવવી પડશે જો નહિ કરાવો તો તમારા માતા મરી જશે. જેથી ડરી જઈ એક વાર દ્યરમાં વિધિ કરાવી લેવાની નકકી કરેલ. ત્યારબાદ શાંત જગ્યાએ વિધિ કરવાનું કહી અને રિવરફ્રન્ટ લઈ ગયો હતો. ત્યાં વસ્તુ પકડાતી નથી કહી અને બાઈક પર કાલુપુર ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તાંત્રિક વિધિના નાટક કરી અને મેલી વસ્તુ પકડાતી નથી જેથી શરીર સંબંધ બાંધવો પડશે તેમ કહી જબરદસ્તી મહિલા સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અવારનવાર દ્યરે આવી અને તારી વિડીયો કલીપ ઈન્ટરનેટ પર મૂકી દઈશ કહી અને સાબરમતી, વિસત હાઈવે પર આવેલા ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાના પિતા મરી ગયા બાદ આવેલા ૭ લાખ રૂપિયાની માહિતી પણ દોલતરામને મળતા પૈસાની માંગ કરી હતી જેથી મજબૂરી અને ડરીને મહિલાએ ૫ લાખ આપી દીધા હતા. બાદમાં મહિલાના મકાનમાં ચંડાળ ચોકડી છે કહી મકાન વેચાવી દઈ ૨૪ લાખ રૂપિયા સગેવગે કરી દીધા હતા. મહિલાની સગી બહેનને પણ ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.