News of Saturday, 7th December 2019
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું પ્રેરક પગલુ
ધારાસભ્યોએ પોતાના મતક્ષેત્ર માટે ઉઠાવેલા પ્રશ્નો 'સંચિત'માં
રાજકોટઃ ગુજરાત વિધાનસભાના તંત્ર દ્વારા ગૃહને લગતી કાર્યવાહી અને માહિતીના પ્રકાશન માટે 'સંચિત' સામયિક સ્વરૂપનું પ્રકાશન સમયાંતરે કરવામાં આવે છે. આ વખતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણાથી તેમાં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ધારાસભ્યોએ ધારાસભામાં પોતાના મત વિસ્તાર માટે ગૃહમાં પ્રશ્નો ઉઠાવ્યા હોય તે પ્રશ્નોની વિગત ધારાસભ્યના ફોટા સાથે આપવામાં આવી છે. સભ્યએ પોતે ઉઠાવેલા પ્રશ્નની યાદ તાજી થશે અને વાંચકોને ધારાસભ્યની કામગીરી બાબતે માહિતી મળી શકશે. રૂપરંગની દ્રષ્ટિએ પણ સંચિતમાં નવીનતા લાવવાનો પ્રયાસ થયો છે. આ પ્રકાશન સોમવારે ગૃહમાં ધારાસભ્યોને આપવામાં આવશે.
(11:33 am IST)