News of Saturday, 7th December 2019
નસવાડીના જિતપુરા ગામે વીજ લાઈનનો કરંટ લાગતા ખેડૂતનું મોત
MGVCL ને રજૂઆત કરવા છતાંય વીજતાર ઉંચા ન કરાયા હોવાનો પરિવારજનોનો આરોપ
નસવાડીના જિતપુરા ગામે વીજ લાઈનનો કરંટ લાગતા ખેડૂતનું મોત થયું હતુ. વીજ લાઇનના વાયરો નમી ગયેલા હોવાથી નસવાડી MGVCL ને રજૂઆત કરવા છતાંય ઉંચા ન કરાયા હોવાનો આરોપ લાગ્યો છે.
ઘરના મોભીનું અચાનક મોત થતા પરિવારના લોકો દુખમાં ગરકાવ થઇ ગયા છે. નસવાડી પોલીસે તપાસ કરી ખેડૂતની લાશને પીએમ માટે ખસેડ્યો હતો.
(9:02 am IST)