ગુજરાત
News of Friday, 7th December 2018

નડિયાદમાં દુકાનદારોએ પોતાના ફાયદા માટે રાતોરાત બસ સ્ટેન્ડ પાડી દેતા ચકાસણી

નડિયાદ: નગરપાલિકા વિસ્તારમાં આવેલ એક બસ સ્ટેન્ડ રાતોરાત તોડી પાડવામાં આવ્યું છે. સંતરામ રોડ પરનું આ સ્ટેન્ડ જર્જરીત થઈ ગયું હોવાથી તોડવામાં આવ્યું હોવાનો દાવો પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે દુકાનદારોને લાભાર્થે આ બસ સ્ટેન્ડ તોડી પાડયું હોવાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.

નડિયાદ શહેરમાં સીટી બસની સુવિધા ઉપલ્બ્ધ નથી, પરંતુ હાલ પણ તેના બસ સ્ટેન્ડો છુટા-છવાયા જે-તે વિસ્તારોમાં આવેલા દેખાઈ રહ્યાં છે. આ પૈકીનું જ એક બસ સ્ટેન્ડ સંતરામ રોડ ઉપર જુના જયંતશાહની હોસ્પિટલ અને વર્ગો કોમ્પલેક્ષની વચ્ચે આવેલ હતુ. જેની બરોબર પાછળની ભાગે કેટલીક દુકાનો પણ આવેલી છે. 

 

 

(5:34 pm IST)