ગુજરાત
News of Friday, 7th December 2018

બોરસદના જંત્રાલમાં નજીવી બાબતે ઝઘડો કરી શખ્સને ઢોરમાર મારતા ફરિયાદ

બોરસદ:તાલુકાના જંત્રાલ ઘનશ્યામનગરમાં રહેતા દિનેશભાઈ મેરૂભાઈ સોલંકી ગઈકાલે બપોરના સુમારે પોતાના ઘરે હતા ત્યારે નજીકમાં જ રહેતા માનસિંહ સોમાભાઈ સોલંકી તથા તેમના ભાઈ પ્રભાતસિંહ દ્વારા પોતાના ખેતરમાં જમીન માપણી કરાવીને ખુંટ મારતા હતા. ત્યારે ખેતરના શેઢે કચરો પડેલો હોય બન્ને ભાઈઓએ ગમે તેવી ગાળો બોલીને દિનેશભાઈને જણાવ્યું હતુ કે, ખેતરમાં કચરો કેમ નાંખો છો ?તેમ જણાવીને ઝઘડો કર્યો હતો. 
માનસિંહભાઈએ હાથમાની કોશ મારવા જતાં દિનેશભાઈ નીચે બેસી ગયા હતા અને હાથ આડો કરી દેતાં કોસ માથામાં ડાબી બાજુ કપાળ ઉપર વાગી ગઈ હતી. પ્રભાતસિંહે કોદાળી લઈ આવીને તેની ઝાપોટો દિનેશભાઈને ડાબા ખભે તથા ડાબા થાપા ઉપર મારીને ગડદાપાટુનો માર માર્યો હતો. 
દિનેશભાઈના ઘરના સભ્યો વચ્ચે પડતાં તેમને પણ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:31 pm IST)