ગુજરાત
News of Friday, 7th December 2018

કઠલાલની ઈન્દીરાનગરીમાં વિધવાને કેસ પાછો ખેંચી લેવા મારવાડી ઈસમે મારી નાખવાની ધમકી આપતા ચકચાર

કઠલાલ:ઈન્દિરાનગરીમાં રહેતી વિધવાને કોર્ટમાં કરેલ પોસ્કોનો કેસ પાછો ખેંચી લેવા મારવાડી ઈસમે ધમકી આપ્યાના બનાવ અંગે કઠલાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ ઈન્દિરા નગરીમાં ભૂરીબેન નગીનભાઈ તળપદા નામની વિધવા ફ્રૂટની લારીનો ધંધો કરી જીવનનિર્વાહ કરે છે. આ વિધવાને ગત તા. ૨-૧૨-૨૦૧૮ના રોજ કઠલાલ મારવાડી નગરમાં રહેતા પ્રકાશ ઉર્ફે પંકજ ઉર્ફે પગી લખાજી મારવાડીએ કહેલ કે તે મારી વિરૂદ્ઘ પોસ્કોની ફરિયાદ આપેલ છે. આ કેસ નડિયાદ કોર્ટમાંથી પાછો ખેંચી લે. તેમ કહી ગમે તેમ ગાળો બોલી જો કેસ પાછો નહિ ખેંચે તો જાનથી મારી નાંખીશ. આ ધાકધમકીથી ફફડી ઊઠેલ વિધવા શ્રમજીવીએ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. 

 

(5:27 pm IST)