News of Friday, 7th December 2018
મહિસાગરના ખાનપુરના ગ્રામ્ય પંથકમાં શિક્ષણનો બહિષ્કાર કરાયો આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રની માંગણી
ખાનપુરની 30થી વધુ પ્રાથમિક શાળાના એક હજારથી વધુ બાળકો ચાર દિવસથી શાળામાં ગેરહાજર
મહિસાગર જિલ્લાના ખાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રની માંગ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે
. ખાનપુરની અંદાજિત 30થી વધુ પ્રાથમિક શાળાના એક હજારથી વધુ બાળકો શાળામાં ગેરહાજર રહ્યા છે.માત્ર આજ નહી પણ છેલ્લા ચાર દિવસશી શાળાઓ વિદ્યાર્થીઓ વિના સુની સુની છે. જાતિનું પ્રમાણપત્ર નહી મળે ત્યાં સુધી શિક્ષણ બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(2:54 pm IST)