News of Friday, 7th December 2018
વર્લ્ડ કપ 2019ની ટ્રોફી અમદાવાદમાં પહોંચી; ભારતમાં તેનો આઠમો પડાવ :23 દિવસમાં નવ શહેરોમાં ફેરવાશે
અમદાવાદ :આઈસીસી વર્લ્ડ કપ 2019ની ટ્રોફી અમદાવાદ આવી પહોંચી છે. આ સમયે ટ્રોફીને વિશ્વભરમાં ફેરવવામાં આવી રહી છે અને ભારત તેનો આઠમો પડાવ છે. ભારતમાં આ ટ્રોફી કુલ 23 દિવસ રહેશે.
આ ટ્રોફીને અલગ-અલગ નવ શહેરોમાં ફેરવવામાં આવશે. જેના ભાગ રૂપે અમદાવાદમાં વિશ્વકપની ટ્રોફી પ્રદર્શન માટે આવી પહોંચી છે.આ ટ્રોફી જોવા માટે અમદાવાદ વન મોલની મુલાકાત લેવી પડશે.
અત્રે ઉલેલ્ખનીય છે કે આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં વિશ્વકપ 2019નો પ્રારંભ થવાનો છે. વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. આ વર્ષે કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. 1992ના વિશ્વકપની જેમ આ વિશ્વકપનું ફોર્મેટ રાખવામાં આવ્યું છે. દરેક ટીમ એકબીજી ટીમ સામે રમશે. જેથી દરેક ટીમને વિશ્વકપમાં કુલ 9 મેચ રમવા મળશે.
(9:51 pm IST)