ગુજરાત
News of Friday, 7th December 2018

આસારામ સામેના દુષ્કર્મ કેસમાં સાક્ષીઓના નિવેદન : વિરોધાભાષી હોવાની રજૂઆત :સુનાવણી મુલતવી

 અમદાવાદ :આસારામ સામે નોંધાયેલા બળાત્કારના કેસની ટ્રાયલ મામલે કેસમાં નવો વળાંક આવ્યો છે. સાક્ષીએ પોલીસ સમક્ષ નોંધાવેલુ નિવેદન અને વીડિયોગ્રાફી થયેલું નિવેદન વિરોધાભાસી હોવાની રજૂઆત અરજીમાં કરાઇ છે. જે મામલે હાઈકોર્ટે તપાસ સંસ્થા અને અન્ય પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. અને કેસની સુનાવણી ૧૧ ડિસેમ્બરે પર મુલતવી રાખી છે.      અત્રે ઉલ્લેખનીય છે કે સાક્ષીઓના વિરોધાભાસી નિવેદનો કોર્ટ અને આરોપી તરફથી થયેલી રજૂઆતને ટ્રાયલ કોર્ટે ફગાવતા હાઇકોર્ટમાં અરજી પડકારવામાં આવી છે.

 

(7:24 pm IST)