ગુજરાત
News of Thursday, 6th December 2018

યાત્રાધામ બહુચરાજીના યાત્રીકભવનમાં પ્રજ્ઞાચક્ષુ યુગલે ખેલ્યો ખૂની ખેલ

-અંધપ્રેમી લાલુએ તેની સાથે આવેલા તારાબેનને છરી ઝીકી સળગાવી નાખવા કર્યો પ્રયાસ :પોતે પણ દાઝ્યો :બંને હોસ્પિટલમાં ખસેડાયા

યાત્રાધામ બહુચરાજી ખાતે યાત્રિક ભવનમાં એક વિચિત્ર ઘટના બની છે રૂમ નંબર 108માં એક પ્રજ્ઞાચક્ષુ યુગલ આવ્યું હતું  ત્યારબાદ રાત્રિ દરમિયાન બચાવો બચાવોની બૂમો સંભળાતા યાત્રિક ભવનના સંચાલકો દોડી ગયા ત્યારે રૂમમાં આ પ્રેમી યુગલ સળગતી હાલતમાં જોવા મળ્યા હતા .

  પ્રાથમિક દ્રષ્ટીએ શોટ સર્કિટના કારણે આગ લાગી હોય અથવા તો બંનેએ આત્મહત્યાની કોશિષ કરી હોય તેવું જણાયુ હતું. ત્યારબાદ રૂમમાં લોહી જોવા મળતા આ સમગ્ર મામલે નવો જ વળાંક આવ્યો હતો. જેમાં અંધ પ્રેમી લાલુભાઇએ તેની સાથે આવેલા તારાબેનને છરી મારીને બાદમાં સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે પોતે પણ ગંભીર રીતે દાઝ્યો હતો. હાલમાં બંનેની મહેસાણા સિવિલ ખાતે સારવાર કરવામાં આવી રહી છે.

(7:39 pm IST)