ગુજરાત
News of Thursday, 6th December 2018

પ્રદીપસિંહ જાડેજાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ : કરાયા : શસ્ત્રક્રિયા બાદ તબિયતમાં સુધારો

અમદાવાદ :રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની તાજેતરમાં જ શસ્ત્રક્રિયા કરવામા આવી હતી ગળાનું કેન્સર ડીટેક્ટ થયા બાદ તેમનું તાત્કાલીક ધોરણે ઓપરેશન કર્યા બાદ તેમની તબિયતમાં રિક્વરી જોવા મળી છે અને હવે તેઓ એકદમ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

 પ્રદિપસિંહ જાડેજાની સર્જરી બાદ તેમની તબિયતમાં થયેલા સુધારા અંગે ડો.કૌસ્તુભ પટેલે હેલ્થ બુલેટીન થકી પ્રદિપસિંહ જાડેજાની તબિયત અંગે માહિતી આપી હતી

(6:58 pm IST)