News of Thursday, 6th December 2018
આણંદમાં ચોરીનો સિલસિલો યથાવત: પીઆઈના ઘરમાં તાળા તોડવાનો ગઠીયાનો પ્રયાસ અસફળ ગયો
આણંદ:જિલ્લામાં ચોરીઓના બનાવો વધ્યા છે. શિયાળાની શરૂઆતમાં કહેવાય છે ચોરીના બનાવો વધવા લાગે છે પરંતુ આણંદમાં તો તસ્કરો ગમે ત્યારે ગમે તેના ઘરને નિશાન બનાવતા નજરે પડી રહ્યા છે હાલમાં જ એક પીઆઈના ઘરના તાળા તોડવાનો તસ્કરોએ પ્રયાસ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વખતે ચોરોની હિંમત ખુલી હતી. વિદ્યાનગર પીઆઈના ઘરમાં જ તાળા તોડવાનો પ્રયાસ કરાયો હતો.આ મામલે વિદ્યાનગર અને આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ ન નોંધાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
(5:31 pm IST)