ગુજરાત
News of Thursday, 6th December 2018

ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ ધારાશાસ્ત્રી ન્યાયાધીશ તરીકે નિમણુંક પામ્યા

ભાર્ગવભાઈ કારીયા, શ્રીમતી મેઘનાબેન જાની, શ્રીમતી સંગીતાબેન વિશેની તેમજ વિષ્ણુકુમાર પટેલ જ્યુડીશ્યલ ઓફીસર

નવી દિલ્હી : ગુજરાત હાઈકોર્ટમાં ચાર નવા ન્યાયાધીશોની નિમણુંક કરવામાં આવી હતી. કાયદા મંત્રાલયે જારી કરેલી જાહેરનામા મુજબ ત્રણ એડવોકેટની જજ તરીકે નિયુકિત કરાઈ છે. જેમાં શ્રી ભાર્ગવ ધીરેનભાઈ કારીયા, શ્રીમતી મેઘનાબેન ભુપેન્દ્રભાઈ જાની અને શ્રીમતી સંગીતાબેન કમલસિંઘ વિશેનની જજ તરીકે નિયુકિત કરી છે જયારે જ્યુડીશ્યલ ઓફીસર વિષ્ણુકુમાર પ્રભુદાસ પટેલ જજ તરીકે નિયુકત થયા છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ કોલેજીયમ દ્વારા ૧-૧૨-૨૦૧૬ના આ ત્રણ નામની જસ્ટીસ તરીકે નિમણુંક માટે સુપ્રિમ કોર્ટ કોલેજીયમને ભલામણ કરી હતી. સુપ્રિમ દ્વારા અગાઉ આ નામો અંગે કેટલીક બાબતો અંગે વધુ સ્પષ્ટતા માંગી હતી.

(12:07 pm IST)