ગુજરાત
News of Thursday, 6th December 2018

પેપરલિંક કાંડના માસ્ટર માઈન્ડ યશપાલ ઠાકોરને 20 સપ્ટેમ્બરએ ગેરહાજર રહેતા ટર્મિનેટ કરાયો હતો

અમદાવાદ :લોકરક્ષક ભરતીના પેપરલીક કાંડના માસ્ટમાઇન્ડ યશપાલસિંહ ઠાકોર વડોદરા શહેરના વારસિયા અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયલેરિયા વિભાગમાં મલ્ટીપરપઝ હેલ્થ વર્કરનું કામ કરતો હતો.

   આ હેલ્થ સેન્ટરના ડો. જલ્પા પટેલે જણાવ્યું હતું કે, ગત 20 સપ્ટેમ્બરે કામ પર આવ્યા બાદ જતો રહેતા બાયોલોજિસ્ટના ચેકિંગમાં ગેરહાજર દેખાયો હતો. ત્યારબાદ ફરજ પર નહિ આવતા તેને ટર્મિનેટ કરાયો છે.

   યશપાલસિંહ ઠાકોર વારસિયા ઝૂલેલાલ મંદિર સામેના ગોસાઇ ફળિયામાં રહેતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમે પણ તપાસ હાથ ધરી હતી. જોકે, અગાઉ ત્યાં રહેતો હતો પણ હવે માંજલપુર તરફ રહે છે તેવી જાણ થઇ હતી. પોલીસે અર્બન હેલ્થ સેન્ટરના દસ્તાવેજોની પણ ચકાસણી કરી હતી.

(9:17 pm IST)