ગુજરાત
News of Monday, 7th October 2019

રાજકોટ ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયાના મોટાભાઈ રાજુભાઈનું દુઃખદ અવસાન : સવારે 8.30 રેસકોર્સ થી રામનાથપરા સ્મશાનયાત્રા

રાજકોટ : સ્વ મગનલાલ વિસનજી કારીયા ત્થા સ્વ કાંતાબેન મગનલાલ કારીયા ના મોટા પુત્ર રમેશભાઈ (રાજુભાઈ) મગનલાલ કારીયાનુ દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા તા 8/10/2019 સવારે 8:30 દિનેશભાઇ કારીયાના નિવાસસ્થાને થી નિકળશે.

નિવાસ સ્થળ - " શ્રી વલ્લભ " 39 શ્રીમદ્દ પાર્ક, રેસકોષ રીંગ રોડ, બીગ બાઇટ રેસ્ટોરન્ટ ની પાછળ, રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાન જશે .

રાજુભાઇ, રાજકોટ શહેર ભાજપ આગેવાન, વોર્ડ નં 3 ના પ્રભારી અને ગુજરાત રાજ્ય અન્ન આયોગના ડીરેક્ટર દિનેશભાઈ કારીયા, રજનીભાઈ કારીયા (મુન્નાભાઇ) , પારૂલબેન પંકજકુમાર ઠક્કર (બરોડા) ના મોટાભાઈ અને ઉવીઁ વિસાલકુમાર સેજપાલ ના પિતાશ્રી અને રાજકોટ લોહાણા મહાજન ના કારોબારી સભ્યશ્રી ધવલ કારીયા, બલેક ગોલ્ડ ચાવાળા મીત કારીયા, અનુ કારીયા ના ભાઇજી અને મનસુખલાલ લાભુભાઇ સુચક ના જમાઇ હતા.

(1:47 am IST)