ગુજરાત
News of Monday, 7th October 2019

અમદાવાની એમ,કે શાહ મેડિકલ કોલેજના અનેક વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ઝપટમાં:વાલીઓમાં કચવાટ

ડેન્ગ્યુના કેસથી વાલીઓમાં મેનેજમેન્ટની બેદરકારીને લઈને રોષ વધ્યો

અમદાવાદ સહિત રાજ્યભરમાં ડેન્ગ્યુનો ડર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજ ઓફ રિસર્ચ સેન્ટરમાં વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી શંકાસ્પદ મોત નિપજ્યુ છે. મિલસી શેઠ નામની વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થયુ છે. છેલ્લા બે મહિનામાં કોલેજના અનેક વિદ્યાર્થીઓ ડેન્ગ્યુનો બોગ બન્યા છે.

 એમ,કે શાહ કોલેજમાં વિદ્યાર્થીઓને જોવા મળતા ડેન્ગ્યુના કેસથી વાલીઓમાં રોષ છે. વાલીઓમાં મેનેજમેન્ટની બેદરકારીને લઈને રોષ વધ્યો છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના તબીબો પણ ડેન્ગ્યુના રોગનો ભોગ બન્યા છે. જેના પર સિવિલ સુપ્રિટેન્ડેન્ટર એમ.એન. પ્રભાકરે પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા એક મહિનામાં ત્રણ તબીબોને ડેન્ગ્યુની અસર જોવા મળી છે. જાન્યુઆરીથી અત્યાર સુધી 12 રેસિડેન્ટ જુનિયર તબીબોને ડેન્ગ્યુ થયો છે.

(10:09 pm IST)