News of Monday, 7th October 2019
સટ્ટાખોરીને પગલે એરંડાના ભાવ તળિયે : મહેસાણા માર્કેટયાર્ડે બંધ પાળીને કર્યો વિરોધ : કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા
અમદાવાદ : એરંડાના ભાવમાં સટ્ટાખોરીના પગલે એરંડાના ભાવ તળિયા પર ગયા છે. મહેસાણા માર્કેટયાર્ડમાં બંધ પાડીને વેપારીઓ વિરોધ કર્યો હતો. ભાવ ન ઉચકાય ત્યાં સુધી એરંડાની ખરીદી બંધ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.
આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેરાલુમાં સરકારને આડા હાથે લીધી હતી. એરંડાના ભાવમાં આજે 100 કિલોએ 500 રૂપિયા નીચે આવી ગયા છે. જે એરંડાનો ભાવ અગિયારસોને પાર ગયો હતો. તે આજે 800ની આસપાસ આવી ગયો છે
(9:30 pm IST)