અમદાવાદ જીલ્લાના માંડલ ઘટકની ૯૭ આંગણવાડીમા નવદુર્ગા પૂજન કાર્યક્રમ યોજાયો : પૂજન બાદ બાળાઓને ગીફ્ટ આપી સુખડી વિતરણ
વિરમગામ :અમદાવાદ જીલ્લાના માંડલ ઘટક માં માંડલ ની ૧ થી ૯૭ આંગણવાડી માં નવદુર્ગા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. માંડલમાં ઉપસ્થિત શક્તિ શરાફી સહકારી મંડળી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચેરમેન મનુભાઈ , M.D રાજુભાઈ શાહ , મહેશભાઈ ચાવડા , નીરૂબેન ચાવડા , સી.ડી.પી.ઓ. મીતા જાની , મુખ્ય સેવિકા આયેશાબેન ઉપસ્થિત રહ્યા અને બાળાઓ ને ગીફ્ટ આપી સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેશભાઈ ચાવડા એ ઉદબોધન કરી સરકારના નવતર અભિગમ પાછળ નો હેતુ કુપોષણ દુર અને બાળકીઓમાં પોષણ વધારવું તેમજ દીકરો દીકરી એક સમાન છે જે બાબતે માર્ગદર્શન પૂરું પાડેલ હતુ. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યા માં બાળાઓ સાથે આંગણવાડી વર્કર બહેનો પણ હાજર રહ્યા હતા.