ગુજરાત
News of Monday, 7th October 2019

આણંદના પાધરિયા વિસ્તારમાં પરિણીતા પર ખોટો વ્હેમ રાખી સાસરિયાઓનો શારીરિક માનસિક ત્રાસ:મહિલા પોલીસના ફરિયાદ નોંધાવવામાં આવી

આણંદ: શહેરના પાધરીયા વિસ્તારમાં આવેલી અલ્પેશ સોસાયટીમાં રહેતી એક પરિણીતા પર તેના પતિ અને ઘરના સભ્યો દ્વારા ખોટો શક વહેમ રાખીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારાતા અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર નડિયાદના સંત જોસેફ સ્ટ્રીટમાં રહેતી જેનિશના લગ્ન આણંદ શહેરની અલ્પેશ સોસાયટીમાં રહેતા નિમેશકુમાર જયંતિભાઈ વાઘેલા સાથે થયા હતા. સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે એક પુત્રીનો પણ જન્મ થયો હતો. જેનિશ શિિક્ષકા તરીકે નોકરી કરી રહ્યા છે. લગ્નના કેટલાક વર્ષો સુખમય પસાર થયા બાદ પતિ દ્વારા તેણીનો પગાર લઈ લઈને ખોટો શક વહેમ રાખી શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. સસરા જયંતિભાઈ, સાસુ સુશિલાબેન, દિયર કેતનભાઈ દ્વારા પતિને ચઢવણી કરતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો.

(6:05 pm IST)