News of Monday, 7th October 2019
આણંદના ભાલેજમાં ભાગોળ તળાવમાંથી 16 વર્ષીય સગીરાની લાશ મળી આવતા ચકચાર: મોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી
આણંદ: શહેરના ભાલેજ ખાતે આવેલ ભાગોળ તળાવમાંથી ૧૬ વર્ષીય સગીરાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભાલેજ ગામના કસ્બા વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા થોડા દિવસ પહેલા કોઈક કારણસર ઘરેથી નીકળી ગુમ થઈ જવા પામી હતી. જેની શોધખોળ તેના પરિવારજનો દ્વારા કરવા છતાં તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જ્યારે ગતરોજ સવારના સમય દરમ્યાન ગુમ થયેલ સગીરાની ભાલેજના ભદ્રકાળી વાવ પાસે આવેલ ભાગોળ તળાવમાંથી લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા તથા આ અંગે ભાલેજ પોલીસને જાણ કરતા ભાલેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તથા સગીરાની લાશને બહાર કઢાવી પી.એમ. માટે મોકલી આપી હતી તથા યુવતીના મોત અંગે પોલીસે ગુનો નોંધી તેના મોત અંગેના કારણો સહિતની તપાસ હાથ ધરી છે.
(5:59 pm IST)