News of Monday, 7th October 2019
વડોદરા નજીક ઈંટોલામાં કોઝ વે પરથી પસાર થતા ત્રણ શ્રમજીવી પાણીમાં તણાયા: બે નો આબાદ બચાવ: એકની શોધખોળ શરૂ
વડોદરા: નજીક ઇંટોલા ગામે નદીના કોઝ વે પરથી પસાર થતા ત્રણ શ્રમજીવીઓ પાણીના વહેણમાં તણાઇ ગયેલા,જે પૈકી બે શ્રમજીવીનો ૧૮ કલાક બાદ પત્તો લાગ્યો છે. મકરપુરા પાસે આવેલા ઇંટોલા ગામમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીનું વહેણ વધુ હોવાના કારણે ગઇકાલે બપોરે ખેતરમાંથી ત્રણ શ્રમજીવીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ડૂબવાનો બનાવ બન્યો હતો. કોઝ વે ઉપર લીલનું પ્રમાણ વધુ હોવાના કારણે એક યુવકે બેલેન્સ ગુમાવતાં તેની સાથે બીજા બે પણ વહેણમાં તણાયા હતા.આ વખતે નદી પાસેથી પસાર થતા મફત ડાહ્યાભાઇ વસાવાએ ત્રણેયને ડુબતા જોતાં તેમણે નદીમાં ઝંપલાવ્યું હતું.
(5:52 pm IST)