ગુજરાત
News of Monday, 7th October 2019

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગી દૂર : રાજીવ સાતવના સંદેશ બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું

પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત બાદ જયરાજસિંહે કહ્યું કે પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ

અમદાવાદ : કોંગ્રેસ નેતા જયરાજસિંહની નારાજગી દૂર થઇ છે. અમિત ચાવડા સાથેની મુલાકાત બાદ જયરાજસિંહે કહ્યું કે પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ.

 

  કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગી મામલે હાઇકમાન્ડ મેદાનમાં આવ્યું હતું. જેમાં રાજ્યના પ્રભારી રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવુ પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો હતો. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પણ હાઈકમાન્ડે આદેશ આપ્યા હતા.

  નારાજ કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી છે. બેઠકને લઇને જયરાજસિંહે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે નારાજગીની વાત છે તે અંગેની વાત કરવા આવ્યો હતો. મનદુઃખની વાત પાર્ટીમાં થાય તો સારી વાત છે. અમિત ચાવડા સાથેની મુલાકાતથી જયરાજસિંહે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજથી પેટાચૂંટણીના પ્રચારમાં લાગી જઇશ.

(11:33 am IST)