ગુજરાત
News of Monday, 7th October 2019

ગિરિમથક સાપુતારાના સનરાઇઝ હિલ પર કપિરાજાનો આતંક: લોકો પરેશાન : પાંજરે પૂરીને પ્રવસીઓને ભયમુક્ત કરવા માંગ

કપિરાજે અચાનક યુવાન પર હુમલો કરીને કમરે બચકું ભર્યું

સાપુતારાનુ હાદૅસમી સનરાઇઝ હિલ પરથી ગુજરાતના સમૃધ્ધ જંગલો અને નયનરમ્ય દ્રશ્યો નિહાળવાનું સુંદર સ્થળ છે પરંતુ ત્યાં ઘણા સમયથી કપિરાજના આતંકથી લોકો પરેશાન થઈ રહયા છે.જૈન મંદિર પરનો યુવાન સવારે સનરાઇઝ હિલ પર ફરવા ગયો હતો તે સમય દરમ્યાન એના પર કપિરાજે એના પર અચાનક હુમલો કર્યો હતો એના કમરના ભાગમાં બચકું પણ ભર્યું હતુ

સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓએ પાંજરૂ પણ મુકવામાં આવ્યુ હોવા છતા પણ કપિરાજા ને પાજરે પુરવા સફળતા મળી નથી. વળી કપિરાજાથી હેરાન પરેશાન થઇ રહેલા સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા કપિરાજને વહેલી તકે પાંજરે પુરી પ્રવાસીઓને ભય મુકત કરે એવી પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

(6:01 pm IST)