ગુજરાત
News of Monday, 7th October 2019

શિનોરના મોટા કરાળા પાસે કાર કેનાલમાં ખાબકતા એક મહિલાનું કરૂણમોત : અન્ય ત્રણ લોકોને ઇજા

રાજપીપળાના હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરતા રસ્તામાં અકસ્માત નડ્યો

રાજપીપળાથી વડોદરા પરત આવી રહેલાં દર્શનાર્થીઓની કાર શિનોરના મોટા કરાળા ગામ પાસે કેનાલમાં ખાબકતા એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણને ઇજાઓ પહોંચી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ વડોદરા ખાતે રહેતા હંસાબેન મહેતા, ભાવનાબેન મહેતા, મીનાબેન દેસાઇ તેમજ ગીરીશ દેસાઇ રાજપીપળાના હરસિધ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે આવ્યાં હતાં. તેઓ માતાજીના દર્શન કરી પરત વડોદરા જઇ રહયાં હતાં તે સમયે કાર ચલાવી રહેલા ગીરીશભાઇએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કરાળા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં હંસાબેનનું કરૂણ મોત થયું હતું જયારે અન્ય ત્રણ લોકોને ઇજા થતાં ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા઼. શિનોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:49 pm IST)