ગુજરાત
News of Saturday, 7th September 2019

ગિરિમથક સાપુતારામાં શ્રીજીની પ્રતિમાનું ભક્તો દ્વારા આસ્થાપૂર્વક વિસર્જન

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પાંચ દિવસે સ્થાપિત શ્રીજીની પ્રતિમાનું ભક્તો દ્વારા આસ્થાપૂર્વક વિસર્જન કરાયું હતું.

  સાપુતારા માં આવેલ ઋતુંભરા વિશ્વ વિદ્યાલય ની બાળાઓએ ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવમાં પાંચ દિવસથી સ્થાપી ભગવાન ગણેશની પ્રતિમાઓનું ડીજેના તાલ સાથે ભક્તિમય માહોલમાં વિસર્જન કર્યું હતું. શ્રીજીની પ્રતિમાનું વિસર્જન વેળાએ ગણપતિ બાપા મોરિયા ના ભક્તિમય નાદોથી સર્પગંગા તળાવનું વાતાવરણ ગૂંજી ઊઠયું હતું.

(1:22 pm IST)