સુરત:દુષ્કર્મના આરોપી ડો,પ્રફુલ દોશીની ધરપકડની માંગ : વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજના લોકોએ આપ્યું આવેદન
આરોપીની ધરપકડ નહીં કરાય તો સમાજના આગેવાનો કતારગામથી લઇ મશાલ રેલી કાઢી વિરોધ પ્રદર્શનકરશે
સુરતમાં ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રફુલ દોશી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ છે. ત્યારે વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજના લોકોએ કમિશનરને આવેદનપત્ર આપી ડોકટર દોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.આરોપ લાગ્યા બાદ છેલ્લા 36 કલાકથી આરોપી ડૉકટર ફરાર છે. ત્યારે તેની ધરપકડની માંગ કરવામાં આવી છે.
સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર સતીષ શર્મા સામે દરખાસ્ત મૂકી હતી કે મહિલા ડીસીપી અધિકારી દ્વારા આ કેસનું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવે.સાથે જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી આરોપી ડોક્ટરની ધરપકડ કરવામાં આવે.
આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારાઇ છે કે જો આરોપીની ધરપકડ નહીં કરાય તો સમાજના આગેવાનો કતારગામથી લઇ મશાલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે.