News of Friday, 7th August 2020
નડિયાદ તાલુકાના આખડોલ નજીક કેનાલમાં ગાબડું પડતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યાં: લોકોમાં ભયનો માહોલ
નડિયાદ:તાલુકાના આખડોલપાસે કેનાલમાં મસમોટું ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યું છે. લગભગ પચાસ ફુટ મોટું ગાબડું પડતા વગર વરસાદે ગામના રસ્તાઓ ઉપર નદીઓ વહી છે. જેથી ગામવાસીઓમાં ફફડાટ સાથે ભયનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ તાલુકાના આખડોલ પાસેથી પસાર થતી મહિ સિંચાઈ કેનાલમાં ગાબડું પડયું હતું. ઢળતી બપોરના ચાર વાગ્યાની આસપાસ ગાબડું પડતા કેનાલનું પાણી ગામના મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યુંહતું. આ બનાવની જાણ મહિ સિંચાઈ વિભાગને થતાં વિભાગની ટીમ તાત્કાલીક અસરથી બનાવના સ્થળે પહોંચી હતી.
(5:12 pm IST)