જયંતિ ભાનુશાળી દુષ્કર્મ મામલે કોર્ટમાં આજે સુનાવણી : સુરતની યુવતીએ 3 ઓગ.ના રોજ ફરિયાદ પાછી ખેંચી હતી.
અમદાવાદ :બીજેપી પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલી વિરુદ્ધની બળાત્કાર અંગેની ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં સોગંદનામું કરી આ ફરિયાદ પછી ખેંચવા મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની યુવતીએ 3 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં યુવતીએ ફરિયાદ આગળ ન વધારવાનો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના નિવેદન મામલે તપાસ અધિકારીઓ તપાસ કરશે.
આ કેસની વધુ સુનાવણી આજે 7 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. કોર્ટે પીડિતાને પૂછ્યું હતું કે, શું તમે તમારી મરજીથી સોગંદનામું રજૂ કર્યું છે. કોર્ટે કહ્યું કે, આ મુદ્દે હજુ વિચારી લો. આમ હવે આ કેસમાં પીડિતાના સોગંદનામા બાદ જયંતિ ભાનુશાળીને રાહત મળી શકે છે. બીજીતરફ પોલીસે સમન્સ મોકલવા છતા ભાનુશાળી એકપણ વખત પોલીસ સમક્ષ હાજર થયો નથી.