નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીએ પ્રદેશ આગેવાનો પર થયેલા હુમલા રોકવા કલેકટર ને આવેદનપત્ર આપ્યું
આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા દરમ્યાન ઇસુદાન ગઢવી સહિત ગોપાલ ઇટાલીયાના ધર પર કરાયેલ હુમલો વખોડી આરોપીઓ સામે કાર્યવાહી ની માંગ કરતું આવેદન આપ્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્ય વિધાનસભાની ચુંટણીઓ આગામી વર્ષ યોજાનાર છે ત્યારે ગુજરાતમા આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને ઉભા રાખી ચુંટણી જંગ મા ઝુકાવસેની જાહેરાત તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ કરી ચુક્યા છે , ત્યારે નામી અનામી અનેક લોકો આમ આદમી પાર્ટી મા જોડાઇ રહયા છે, એ સહિત સમગ્ર ગુજરાતમાં જન સંવેદના યાત્રા કાઢી લોકોના સંપર્ક પણ કરવામાં આવી રહયા છે, જનસંવેદના યાત્રા દરમ્યાન ઇસુદાન ગઢવી સહિત આગેવાનો ઉપર હુમલો કરાતા તેના ધેરા પૄતયાધાત કાર્યકરોમા પડતા આમ આદમી પાર્ટીના આગેવાનો એ આજરોજ નર્મદા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ અને આરોપી સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ગુજરાત માં જનસંવેદના યાત્રા દરમ્યાન આમ આદમી પાર્ટી ના વરિષ્ઠ આગેવાનો પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા , ઇસુદાન ગઢવી , મહેશ સવાણી તેમજ અન્ય આગેવાનો ઉપર તેમજ તેમના પરિવારો ઉપર વારંવાર હુમલાઓ કરવામાં આવી રહેલ છે. માટે એમનું રક્ષણ કરવા માટે અને આજસુધી બનેલ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે તે બાબતે નર્મદા જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી,નર્મદા ના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે પ્રસંગે જીલ્લા પ્રમુખ ડૉ કિરણ વસાવા , કાનજીભાઈ તડવી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.