News of Saturday, 7th July 2018
મેસરી નદીમાં મચ્છી મારવા ગયેલા બે શખ્શોને કરંટ લાગતા બંનેના મોત
વડોદરા ડેસર તાલુકાના કેશરાના મુવાડા ગામે મેસરી નદીમાં મચ્છી મારવા ગયેલા બે ઈસમોને કરંટ લાગતા બંનેના મોત થયા હતા.ગુણવંત પરમાર નામના ખેડૂતે મકાઈના પાકને ભૂંડોથી બચાવવા ફેનસિંગ વાડ પર કરંટ મુક્યો હતો.જો કે બંને ત્યાંથી પસાર થતા કરંટ લાગતા બંનેના મોત થયા હતા.ત્યારબાદ મૃતદેહ ડેસર સામુહિક કેન્દ્ર ખાતે લવાયો હતો.
(9:17 pm IST)