ગુજરાત
News of Saturday, 7th July 2018

અમદાવાદના મેઘાણીનગરમાં મંદિરનો પુજારી ગાંજો વેચતા ઝડપાયોઃ ૧૪૦ ગ્રામ ગાંજો જપ્ત કરીને ૪ વખત જેલની સજા કાપી ચૂકનાર પુજારીની પૂછપરછ

અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગરમાં લોકોના આસ્થાના પ્રતિકસમા મંદિરમાં પુજાવિધીની સાથોસાથ નશીલા દ્રવ્યોનું વેચાણ કરનાર પુજારી ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર મેઘાણીનગરમાં એક મંદિરનો પૂજારી મંદિરમાં જ ગાંજો વેચતો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મેઘાણીનગરમાંથી મંદિરના પૂજારીને ગાંજો વેચતો પકડ્યો છે. આરોપી પાસેથી 140 ગ્રામ ગાંજાનો જથ્થો એનસીબીએ કબજે કર્યો છે.

આરોપી લક્ષ્મણગિરી ગોસ્વામી મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો અને ભક્તિની આડમાં નશાનો વ્યાપાર ચલાવતો હતો. એનસીબીએ આરોપીની પૂછપરછ કરતા તે ચાર વાર જેલમાં સજા કાપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે અને આરોપી શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ગાંજો વેચી નશાનો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

 

(5:51 pm IST)