વલસાડમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો : તિથલ બેચ પર વૃક્ષારોપણ કરાયુ
વલસાડ : વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર આજરોજ જેસીઆઈ પરિવાર વલસાડ , મેવાડ જૈન યુવક પરિષદ, તેરાપંથ યુવક પરિષદ વલસાડ અને પ્રમુખ સાનિધ્ય પરિવાર અબ્રામાના સંયુક્ત ઉપક્રમે તીથલ બીચ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત 500 થી પણ વધુ ખજુરડીના બીજ રોપવાનો ધ્યેય પૂર્ણ કરવામાં આવ્યો હતો. ખજુરડીના વૃક્ષોને વધુ માવજતની જરૂર હોતી નથી અને દીર્ધાયુ પણ હોય છે. કોઈ પણ પ્રકારના તુફાન અને મોસમમાં પણ આ વૃક્ષો અડીખમ ઉભા રહે એટલા મજબૂત હોય છે. ચોમાસું શરુ થતાની સાથે જ આ કાર્યક્રમ રાખવાથી સફળતા મળવાની શક્યતા વધું રેહશે. લલિત ગુગલીયા અને રાકેશભાઈ પટેલ તીથલ, આનંદ દક તેમજ વિવિધ સંસ્થાઓ ના 25 જેટલા સભ્યો સાથે આ સંપુર્ણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.