ગુજરાત
News of Friday, 7th June 2019

અંબાજી ત્રિશુળીયા ઘાટ પર જીપ પલટી ખાઈ જતા 10 લોકોના કરૂણમોત : 10થી વધુ ઘાયલ

જીપની બ્રેક ફેઈલ થતા પલ્ટી ખાઈ ગઈ :જીપમાં 24 લોકો સવાર હોવાના અહેવાલ ;મૃતકો તમામ વડગામના ભલગામના રહેવાસી

અંબાજી ત્રિશુળીયા ઘાટ પર જીપ પલ્ટી ખાઈ જતા 10 લોકોના મોત નિપજ્યા છે જયારે 10 લોકો ઘાયલ થયા છે

અંબાજીના ત્રીશુળીયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો છે જેમાં એક પેસેન્જર જીપ પલટી મારતા સ્થળ પર જ  સાત લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણના સારવાર દરમ્યાન મોત થયા છે  આમ કુલ 10 લોકોના મોત  થઈ ચુક્યા છે અને  10થી વધુ લોકો ઘાયલ થયા છે

   મળતી વિગત મુજબ જીપ જ્યારે પેસેન્જર ભરી અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા, જીપ પલ્ટી મારી ગઈ હતી  જીપમાં લગભગ 25 જેટલા લોકો બેસાડવામાં આવ્યા હતા,તમામ મૃતકો વડગામના ભલગામના રહેવાસી હોવાનુ  જણાવવામાં આવી રહ્યું છે.

    અકસ્માતની જાણ થતા જ એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને ઘાયલ લોકોને સારવાર માટે તત્કાલીન નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. પોલીસ ટીમ કેવી રીતે અકસ્માત સર્જાયો તેની પૂછપરછ કરી રહી છે, સાથે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે કાર્યવાહી કરી રહી છે.

(8:54 pm IST)