News of Friday, 7th June 2019
નડિયાદ રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ
નડિયાદ: રેલવેસ્ટેશનના ફુટપાથ પરથી આજરોજ સવારના સમયે એક અજાણ્યાં પુરૂષ (ઉં.વ ૫૫ ના આશરાની) ની લાશ મળી આવતાં ચકચાર મચી હતી. આ અંગેની જાણ રેલવે પોલીસને થતાં પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ પી.એમ માટે મોકલી આપેલ છે. પી.એમ બાદ મોત અંગેનું કારણ જાણવા મળશે. જો કે હાલ પોલીસે આ અજાણ્યાં પુરૂષની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.
(5:33 pm IST)