News of Friday, 7th June 2019
અમદાવાદના કલ્યાણ પુષ્ટિ હવેલીમાં સવા લાખ કેરીનો મનોરથ
અમદાવાદ : ષષ્ઠાધિશ્વર પ.પૂજય ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની નિશ્રામાં અને ઉપસ્થિતિમાં પુરૂષોત્તમ માસના અલૌકિક અવસરે છપ્પનભોગ બડો મનોરથ શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી ગીરીરાજજી અને શ્રી કલ્યાણરાય પ્રભુનો સવા લાખ (૧.૨૫ લાખ) કેરીનો મનોરથ એટલે (આમ્રકુંજ)નો મનોરથ રાખવામાં આવેલ જેમાં સમગ્ર હવેલી પરીસરને આંબાની પત્તીઓ અને કેરીઓથી સુશોભીત કરવામાં આવશે અને શ્રી પ્રભુને અદ્વિતીય કેરીનો ભોગ અને કેરીની બનેલી વિવિધ સામગ્રીઓ ધરાવવામાં આવી હતી.
(3:32 pm IST)