News of Thursday, 7th June 2018
કચરો નાખવા ગયેલ સગીરાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર આંકલાવના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
આંકલાવ: નગરની ઈન્દિરા કોલોનીમાં રહેતી એક સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે પોલીસે ચાર શખ્સો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સગીરા ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ઘરની બહાર રોડ નજીક કચરો નાંખવા ગઈ હતી જ્યાં સાજીદભાઈ રણજીતસિંહ રાજ આવી ચઢ્યો હતો અને તેણે તુ મને બહુ ગમે છે તેમ જણાવીને તેણીની આબરૂ લેવાની કોશિષ કરી હતી પરંતુ સગીરાએ બૂમાબૂમ કરતાં સાજીદભાઈ ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં સાજીદ, ઐયુબભાઈ અહેમદભાઈ રાજ, શૈલેષભાઈ રમેશભાઈ ઠાકોર તથા અર્જુનભાઈ ચંદુભાઈ ઠાકોરે તેણીને તથા ઘરના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
(7:09 pm IST)