ગુજરાત
News of Thursday, 7th June 2018

સચિવાલયમાં વાલ્મીકી સમાજના યુવાનો ઘસી ગયાઃ ઉગ્ર સુત્રોચાર

આજે બપોરે ર વાગ્યા આસપાસ વાલ્મીકી યુવાનોએ સચિવાલય સંકુલમાં ઘુસી જઇ મુખ્યમંત્રી વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચાર કરેલ તે પ્રસંગની તસ્વીર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા ૭ : આજે બપોરે નવા સચિવાલય ખાતે ત્રીસેક યુવાનો ઘસી આવેલ અને મુખ્યમંત્રી 'હાય હાય' ના નારા લગાવેલ ભારે દેકારાના કારણે સચિવાલયના કર્મચારીઓ અને મુલાકાતીઓ પણ જોવા માટે ટોળે વળ્યા હતા. થોડીવાર માટે ઉતેજનાભર્યો માહોલ થઇ થયેલ આખરે પોલીસે દોડી જઇ ઉગ્ર મિજાજમાં દેખાવ કરી રહેલા યુવાનોની અટકાયત કરી હતી.

દેખાવકાર યુવાનો રાજકોટ, જામનગર, પથકના વાલ્મીકી સમાજના હોવાનું અને સફાઇ કામદાર તરીકે કાયમી કરવા સહિતની માંગણી સંદર્ભે સ્વર્ણિમ સંકુલ પહોચ્યાનું જાણવા મળેલ છે

(4:23 pm IST)